Description
શ્રી રમણ ગીતા એ શ્રી રમણ મહર્ષિના ઉપદેશો પરની એક મહત્વપૂર્ણ કૃતિ છે, જે તેમના મુખ્ય ભક્ત વાસિષ્ઠ ગણપતિ મુનિ દ્વારા રચિત છે. તે જિજ્ઞાસુ ભક્તો દ્વારા વ્યક્ત થયેલી આકાંક્ષા પ્રમાણે તેમને સંબોધવામાં આવેલા ગદ્ય પ્રશ્નોના
જવાબમાં, આધ્યાત્મિક મહત્વ અને સાધનાની વિવિધ પદ્ધતિઓના વિષય ઉપર મહર્ષિના માર્ગદર્શનની નોંધ છે. મોટા ભાગના પ્રશ્નો ૧૬૧૬ અને૧૯૧૭ના સમયગાળાના છે.
શ્રી રમણ ગીતામાં લેવામાં આવેલા પ્રશ્નો ઘણીવાર અટપટા હોય છે, કારણ કે તે યોગના સૌથી ઊંડા અનુભવો સાથે સંબંધિત છે અને તેમાં ખૂબ જ સૂક્ષ્મ દૃષ્ટિ અને વિશ્લેષણ સામેલ છે.
જો કે શ્રી રમણ ગીતાનો દરેક અધ્યાય એક અલગ વિષયને પ્રસ્તુત કરે છે, હૃદય વિદ્યાના અધ્યાય પાંચ વિષે વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ, જેમાં શ્રી ભગવાનનું વિવેચન તેમની પોતાની મરજીથી આપવામાં આવ્યું છે અને તે કોઈના કોઈ પણ
પ્રશ્નના જવાબરૂપે નથી.